મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વિશ્વ સાઇકલ દિવસ: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દરરોજ 20 કિ.મી. કરે છે સાયકલિંગ


SHARE











વિશ્વ સાઇકલ દિવસ: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દરરોજ 20 કિ.મી. કરે છે સાયકલિંગ

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાઇકલ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે મોરબીના લોકો  માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે મોરબીની શ્રી રોટરીગ્રામ (અ) પ્રા. શાળાના આચાર્ય અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિભાઈ વી. સરડવા છેલ્લા ૩ વર્ષથી વહેલી સવારે નિયમિત ૪:૦૦ વાગ્યે ઊઠી ફ્રેશ થઈ ૪:૩૦ કલાકે  સાઇકલ લઈને ભક્તિનગર સર્કલથી લીલાપર ગેઇટ સુધી દરરોજ બે રાઉન્ડ લગાવી આશરે ૨૦  થી ૨૫ કિ.મી. સાઇકલ ચલાવી આજના સમયમાં પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.  વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે મણિભાઈ વી. સરડવાએ મોરબીના યુવાનોને દરરોજ નિયમિત સાઇકલ ચલાવવાના અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. મણિભાઈ સરડવાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં સાઇકલ ચલાવવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને માનવીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.






Latest News