મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે પેપર મિલમાં લોડર ચાલકે હડફેટે લેતા બે વર્ષના માસૂમ બાળકનું મોત


SHARE











મોરબીના લીલાપર રોડે પેપર મિલમાં લોડર ચાલકે હડફેટે લેતા બે વર્ષના માસૂમ બાળકનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલના કારખાનામાં માતા કામ કરી હતી ત્યાં રમતા બે વર્ષના બાળકને લોડરના ચાલકે હડફેટે લેતા તે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને બાળકનું મોત નીપજયું હતું જે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમમાં ઘણી વખત અકસ્માતમાં માસુમ બાળકોના મોત નીપજતા હોય તેવી ઘટનાઓ બનતી હોય છે આવો જ એક બનાવો મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મીલ કારખાનાની અંદર બન્યો હતો જેમાં મળતી માહિતી મુજબ પ્રમોદ શંકરભાઈ સેવરીયા (2) નામના બાળકને લોડરના ચાલકે હડફેટે લેતા તે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું રહેતો સંજય વીરસંગભાઈ મકવાણા (27) નામનો યુવાન રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં રોલજા સિરામિક ઉચી માંડલ ગામ પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા ઇન્દ્રજીતસિંહ (56) નામના આધેડને ગભરામણ અને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News