મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલ સહિત કુલ 6 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન


SHARE











મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન

મોરબીના મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવેલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટરમાં રવેસના ભાગમાં બનાવેલ બાથરૂમ કોઈ કારણોસર અચાનક બપોરના સમયે તૂટી પડ્યું હતું જેથી કરીને ત્યાં માલ લેવા માટે આવેલ લોકોના બે વાહન ત્યાં પડ્યા હતા તેના ઉપર બંધકામનો કાટમાળ તૂટી પડતા બે વાહનમાં નુકસાન થયેલ છે

મોરબી મહાનગરપાલિકા દ્વારા જૂની અને જર્જરિત મિલકતોનો સર્વે કરીને તે મિલકતો દૂર કરવા માટે આસામીઓને સૂચના અને નોટિસ આપવામાં આવે છે અને જે આસામીઓ પોતાના જર્જરિત બાંધકામને દૂર કરતા નથી તેના ઉપર બુલડોઝર ફેરવવા માટેની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા જ કરવામાં આવી હતી તેવામાં આજે બપોરના સમયે મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટર આવેલ છે અને તે શોપિંગ સેન્ટરમાં રવેશના ભાગમાં બાથરૂમ બનાવવામાં આવ્યું હતું અને તે બાથરૂમનું બાંધકામ કોઈ કારણોસર ધડાકાભેર તૂટી પડ્યું હતું જેથી નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનોમાંથી માલ સામાન લેવા માટે થઈને આવેલ લોકોમાંથી એક વ્યક્તિની રીક્ષા અને એક વ્યક્તિની ક્વાલીશ ગાડી ત્યાં પાર્ક કરીને મૂકી હતી અને તે બંને વાહનો ઉપર કાટમાળ તૂટી પડવાના કારણે બંને વાહનોમાં નુકસાની થયેલ છે જોકે સદનસીબે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આવા જુના અને જર્જરીત બાંધકામો ક્યારેક કોઇની માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ છે જેથી મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને જૂના અને જર્જરીત બાંધકામો હોય તેના આસામીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની લાગણી છે






Latest News