મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન


SHARE











મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન

મોરબીના મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવેલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટરમાં રવેસના ભાગમાં બનાવેલ બાથરૂમ કોઈ કારણોસર અચાનક બપોરના સમયે તૂટી પડ્યું હતું જેથી કરીને ત્યાં માલ લેવા માટે આવેલ લોકોના બે વાહન ત્યાં પડ્યા હતા તેના ઉપર બંધકામનો કાટમાળ તૂટી પડતા બે વાહનમાં નુકસાન થયેલ છે

મોરબી મહાનગરપાલિકા દ્વારા જૂની અને જર્જરિત મિલકતોનો સર્વે કરીને તે મિલકતો દૂર કરવા માટે આસામીઓને સૂચના અને નોટિસ આપવામાં આવે છે અને જે આસામીઓ પોતાના જર્જરિત બાંધકામને દૂર કરતા નથી તેના ઉપર બુલડોઝર ફેરવવા માટેની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા જ કરવામાં આવી હતી તેવામાં આજે બપોરના સમયે મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટર આવેલ છે અને તે શોપિંગ સેન્ટરમાં રવેશના ભાગમાં બાથરૂમ બનાવવામાં આવ્યું હતું અને તે બાથરૂમનું બાંધકામ કોઈ કારણોસર ધડાકાભેર તૂટી પડ્યું હતું જેથી નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનોમાંથી માલ સામાન લેવા માટે થઈને આવેલ લોકોમાંથી એક વ્યક્તિની રીક્ષા અને એક વ્યક્તિની ક્વાલીશ ગાડી ત્યાં પાર્ક કરીને મૂકી હતી અને તે બંને વાહનો ઉપર કાટમાળ તૂટી પડવાના કારણે બંને વાહનોમાં નુકસાની થયેલ છે જોકે સદનસીબે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આવા જુના અને જર્જરીત બાંધકામો ક્યારેક કોઇની માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ છે જેથી મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને જૂના અને જર્જરીત બાંધકામો હોય તેના આસામીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની લાગણી છે






Latest News