મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરતાં બ્રિજેશ મેરજા


SHARE







મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરતાં બ્રિજેશ મેરજા

મોરબી ખાતે સંવિધાન દિવસની ઉજવણીમાં રાજયના પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાઍ ભાગ લીધો હતો ત્યાર બાદ તેમના મોરબી ખાતેના નિવાસસ્થાન નાલંદા કેમ્પસ વિરપર ખાતે દલિત પરિવારના શાંતુબેન દિનેશભાઇ ચાવડા (ગામ વિરપર) તેમજ દેવુબેન ગોકળભાઇના પરિવારનું સાલ ઓઢાળીને ગૌરવભેર સન્માન કરેલ ઍટલુ જ નહિ પણ તેમના પરિવાર સાથે કલાકો સુધી સમય વિતાવ્યા હતો. સાથે-સાથે તેમના પરિવાર સાથે ચા-નાસ્તો તેમજ ભોજન લીધુ હતું. ઉપરાંત તેમના પરિવારની ક્ષેમકુશળતા અંગેની પૃચ્છા કરી હતી. આમ, સંવિધાનના સર્જક ઍવાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની વંચિતોના વિકાસની જે ખેવના હતી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા બ્રિજેશ મેરજાઍ અનુકરણીય પગલું ભર્યુ હતુ.






Latest News