મોરબીના 602 જમીન કૌભાંડમાં 120 (બી) સહિતની ગંભીર કલમોનો ઉમેરો કરાયો: કોણ બનશે આરોપી, કોણ બનશે સાક્ષી ? તેની ચર્ચા
SHARE








મોરબીના 602 જમીન કૌભાંડમાં 120 (બી) સહિતની ગંભીર કલમોનો ઉમેરો કરાયો: કોણ બનશે આરોપી, કોણ બનશે સાક્ષી ? તેની ચર્ચા
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં જે કલમ હેઠળ ગુનો નોંધાયો હતો તેમાં ગંભીર કલમોનો હવે ઉમેરો કરવામાં આવેલ છે જેથી કરીને આગામી સમયમાં જો કે, આ ગુનામાં પોલીસ દ્વારા કોની કોની ધરપકડ કરવામાં આવે છે અને જે શખસોના હાલમાં આરોપી તરીકે નામ ચર્ચામાં છે અને ફરિયાદી જે 17 શખસોના નામ સાથેનું વિશેષ નિવેદન આપલે છે તેમાંથી કોણ કોણ સાક્ષી બને છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જમીન કૌભાંડની ફરિયાદ નોંધાયેલ હતી અને તેમાં જેનું નામ આરોપી તરીકે છે તે સાગર ફૂલતરિયાએ આગોતરા જામીન માટે મોરબીની સેશન્સ કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી જેને સેશન્સ કોર્ટના જજ સાહેબ દ્વારા નામંજૂર કરવામાં આવેલ છે જો કે, મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (૬૫)એ ગત તા 15/3 ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર રહે. ત્રાજપર ખારી મોરબી અને સાગર અંબારામભાઈ ફુલતરીયા રહે. તરઘરી વાળાની સામે ફરીયાદ નોંધાવેલ છે જેમા જણાવ્યુ છે કે, તેઓના પિતાની માલીકીની જમીન વજેપર ગામના સર્વે નંબર 602 માં આવેલ છે અને તેઓના પરિવારમાં કોઈ શાંતાબેન બેચરભાઇ ડાભી વા/ઓફ મનજીભાઇ પરમાર નામની મહીલા નથી તેમ છતાં પણ તેનું નામ બોગસ મરણના દાખલા અને આધારા પુરાવાઓ ઊભા કરીને સરકારી અધિકારી અને કર્મચારીઓ સાથે મિલપીપણું કરીને બોગસ આધારા પુરાવા આધારે શાંતાબેન ડાભીને તેઓની જમીનમાં વારસદાર તરીકે વરસાઈ નોંધ પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણિત કરીને વારસદાર બનાવવાં આવેલ હતા
આ બાબતે તેઓએ કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી અરજીઓ કરેલ હતી ત્યાર બાદ તેઓની ફરીયાદ લેવામાં આવેલ હતી જો કે, જે રીતે જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમાં જે લોકો સંડોવાયેલ છે તેની સામે ફરિયાદી આપેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને ફરિયાદીને ફરિયાદ સામે અસંતોષ હતો અને આ સમગ્ર કૌભાંડમાં આરોપીઓને છાવરવામાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની ભૂમિકા શંકાસ્પદ જણાઇ રહી છે. તેવો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ હતી અને ત્યાર બાદ કલેક્ટરે આપેલ ખાતરી પછી ફરિયાદીએ અધિકારી સહિત કુલ મળીને 17 શખ્સોના નામ સાથે વિશેષ નિવેદન આપેલ છે. જેના આધારે હાલમાં ડીવાયએસપી પી.એ.ઝાલા તપાસ કરી રહ્યા છે
અત્રે ઉલેખનીય છે કે, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જમીનના માલિકની ફરિયાદ લઈને પોલીસે પહેલા બી.એન.એસ. એકટની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨), ૩૩૯, ૩(૫) નુજ્બ ગુનો નોંધ્યો હતો જો કે, તપાસનીસ અધિકારી દ્વારા આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વધારાની કલમનો આ કેસમાં ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ આપવામાં આવેલ હતી જેથી કરીને આ જમીન કૌભાંડની ફરિયાદમાં આઇપીસી કલમ-૪૭૨ (બી એન.એસ. કલમ-૩૪૧(૪)), ૧૨૦બી (બી.એન.એસ.કલમ-૬૦), ૧૯૩ (બી.એન.એસ. કલમ-૨૨૯(૧)), ૧૯૮ (બી.એન.એસ. કલમ-૨૩૬) નો ઉમેરો કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસ દ્વારા આ ચકચારી જમીન કૌભાડમાં આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસમાં કેટલાક સરકારી અધિકારી અને કર્મચારીઓ સુધી પણ રેલો પહોચે તેવા સંકેત મળી રહ્યા છે. જો કે, આ ગુનામાં હવે પોલીસ દ્વારા કોની કોની ધરપકડ કરવામાં આવે છે અને કોણ કોણ સાક્ષી બને છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.

