મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

સિમાચિહન ચુકાદો: મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડાની મિલ્કત ખાલી કરીને માલિકને સોંપવાનો કોર્ટનો આદેશ


SHARE











સિમાચિહન ચુકાદો: મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડાની મિલ્કત ખાલી કરીને માલિકને સોંપવાનો કોર્ટનો આદેશ

તાજેતરમાં મોરબી સીવીલ કોર્ટમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે ભાડુઆત સામે લાલ આંખ કરી હતી અને ભાડાવાળી મિલ્કત ખાલી કરીને તેનો કબજો માલિકને સોંપવા માટેનો સિમાચિહન ચુકાદો આપેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, મોરબી શહેરમાં સરદાર રોડ ઉપર મુર્તુઝાભાઈ મુસ્તક્ષભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાની સંયુક્ત માલિકીની દુકાનો આવેલ છે જે દુકાનો માહેથી એક દુકાન જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ તેમના પિતા વખતથી ભાડે રાખેલ હતી અને આ ભાડાવાળી દુકાન માત્રને માત્ર સાઈકલો ભાડે આપવા બેસવા ધંધો કરવાના હેતુથી ભાડે આપેલ હતી અને આ દુકાનમાં દુકાનમાલિકની લેખિત પરવાનગી લીધા વિના કોઈપણ ધંધો કરવાનો નથી તેવી શરત ભાડાચિઠ્ઠીમાં લખવામાં આવેલ હતી પરંતુ ભાડુઆત જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ દુકાનમાલિકની પૂર્વ લેખિત પરવાનગી મેળવ્યા વિના ભાડાવાળી દુકાનમાં સી.ડી. અને ડી.વી.ડી. વેચવાનો ધંધો કરેલ અને ત્યારબાદ ચા-પાણી વિગેરેનું વેચાણ કરવાનો ધંધો કરી ભાડાચિટ્ટિની શરતનો ભંગ કર્યો છે. ઉપર મુર્તુઝાભાઈ મુસ્તાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાએ તેમના વકીલ નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆ અને ચિરાગ દુષ્યંતભાઈ કારીઆ મારફતે મોરબીની દિવાની અદાલતમાં ભાડાવાળી દુકાનનો ખાલી કબજો મેળવવા રે.દિ.મુ.નાં. ૭૨/૨૦૧૩ થી દાખલ કરેલ હતો જે દાવો મોરબીના મહે. એડિશનલ સીવીલ જજ સી.વાય.જાડેજા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદી મુર્તુઝાભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાનો દાવો મંજુર કર્યો છે અને પ્રતિવાદી જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાને ભાડાવાળી દુકાન ખાલી કરી તેનો કબજો હુકમની તારીખથી દિન-૬૦ માં વાદીને સોંપી આપવાનો હુકમ કર્યો છે અને સિમાચિહન ચકાદો આપેલ છે.આ કેસમાં વાદી પક્ષે વકીલ તરીકે નવલચંદભાઈ જી.કારીઆ, ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીયા રોકાયેલ હતા.જોકે વર્ષ ૨૦૧૭ માં એડવોકેટ નવલચંદભાઈ કારીઆનું અવશાન થતા કેસ ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીઆએ ચલાવ્યો હતો.






Latest News