મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

સિમાચિહન ચુકાદો: મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડાની મિલ્કત ખાલી કરીને માલિકને સોંપવાનો કોર્ટનો આદેશ


SHARE











સિમાચિહન ચુકાદો: મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડાની મિલ્કત ખાલી કરીને માલિકને સોંપવાનો કોર્ટનો આદેશ

તાજેતરમાં મોરબી સીવીલ કોર્ટમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે ભાડુઆત સામે લાલ આંખ કરી હતી અને ભાડાવાળી મિલ્કત ખાલી કરીને તેનો કબજો માલિકને સોંપવા માટેનો સિમાચિહન ચુકાદો આપેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, મોરબી શહેરમાં સરદાર રોડ ઉપર મુર્તુઝાભાઈ મુસ્તક્ષભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાની સંયુક્ત માલિકીની દુકાનો આવેલ છે જે દુકાનો માહેથી એક દુકાન જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ તેમના પિતા વખતથી ભાડે રાખેલ હતી અને આ ભાડાવાળી દુકાન માત્રને માત્ર સાઈકલો ભાડે આપવા બેસવા ધંધો કરવાના હેતુથી ભાડે આપેલ હતી અને આ દુકાનમાં દુકાનમાલિકની લેખિત પરવાનગી લીધા વિના કોઈપણ ધંધો કરવાનો નથી તેવી શરત ભાડાચિઠ્ઠીમાં લખવામાં આવેલ હતી પરંતુ ભાડુઆત જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ દુકાનમાલિકની પૂર્વ લેખિત પરવાનગી મેળવ્યા વિના ભાડાવાળી દુકાનમાં સી.ડી. અને ડી.વી.ડી. વેચવાનો ધંધો કરેલ અને ત્યારબાદ ચા-પાણી વિગેરેનું વેચાણ કરવાનો ધંધો કરી ભાડાચિટ્ટિની શરતનો ભંગ કર્યો છે. ઉપર મુર્તુઝાભાઈ મુસ્તાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાએ તેમના વકીલ નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆ અને ચિરાગ દુષ્યંતભાઈ કારીઆ મારફતે મોરબીની દિવાની અદાલતમાં ભાડાવાળી દુકાનનો ખાલી કબજો મેળવવા રે.દિ.મુ.નાં. ૭૨/૨૦૧૩ થી દાખલ કરેલ હતો જે દાવો મોરબીના મહે. એડિશનલ સીવીલ જજ સી.વાય.જાડેજા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદી મુર્તુઝાભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાનો દાવો મંજુર કર્યો છે અને પ્રતિવાદી જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાને ભાડાવાળી દુકાન ખાલી કરી તેનો કબજો હુકમની તારીખથી દિન-૬૦ માં વાદીને સોંપી આપવાનો હુકમ કર્યો છે અને સિમાચિહન ચકાદો આપેલ છે.આ કેસમાં વાદી પક્ષે વકીલ તરીકે નવલચંદભાઈ જી.કારીઆ, ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીયા રોકાયેલ હતા.જોકે વર્ષ ૨૦૧૭ માં એડવોકેટ નવલચંદભાઈ કારીઆનું અવશાન થતા કેસ ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીઆએ ચલાવ્યો હતો.






Latest News