મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત


SHARE















માળીયા (મી)ના લણપુર ગામે માનસિક બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના લણપુર ગામે રહેતા યુવાનને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે ઘરમાં પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાનના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના લણપુર ગામે રહેતા કાદરભાઈ હારુનભાઈ કમોરા (40)એ પોતે પોતાના ઘરની અંદર રૂમનો દરવાજો બંધ કરીને છતના પતરાની લોખંડની એંગલ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૃતક યુવાને તેની માનસિક બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિજ્યોતમાં રહેતા મનસુખભાઈ દેવજીભાઈ વડસોલા (65) નામના વૃદ્ધની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને જતા હતા ત્યારે રસ્તામાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી મૃતકના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંબનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News