મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાં ઓટો રિક્ષા ખાબકી: કોઈ જાનહાનિ નહીં


SHARE











મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાં ઓટો રિક્ષા ખાબકી: કોઈ જાનહાનિ નહીં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાના રસ્તા ઉપર પસાર થતી મચ્છુની કેનાલમાં કોઈ કારણોસર એક ઓટો રિક્ષા ખાબકી હતી અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં રિક્ષામાં બેઠેલ વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી જોકે કેનાલમાં પાણી બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થયેલ નથી.

મોરબી શહેરમાંથી મચ્છુની કેનાલ પસાર થાય છે જે મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવા માટે આશીર્વાદ સમાન કેનાલ છે આ કેનાલમાં હાલમાં પાણી બંધ હોવાના કારણે એક મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી છે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાના રસ્તા ઉપરથી મચ્છુની કેનાલ પસાર થાય છે તે કેનાલમાં આજે સવારે 10:00 વાગ્યાના અરસામાં એક રીક્ષા કેનાલમાં ખાબકી હતી જેથી રિક્ષામાં બેઠેલ વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી જોકે, અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી અને આસપાસના લોકોએ તાત્કાલિક ક્રેન બોલાવીને કેનાલમાં પડી ગયેલ ઓટો રીક્ષાને બહાર કાઢી હતી.






Latest News