મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી મહપાલિકાના કમિશનરની વિઝિટ બાદ આજે 20 જેટલા કાચા-પાકા દબાણો તોડી પડ્યા


SHARE











મોરબી મહપાલિકાના કમિશનરની વિઝિટ બાદ આજે 20 જેટલા કાચા-પાકા દબાણો તોડી પડ્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રીલીફ નગર અને અરુણોદયનગર વચ્ચે જે સરકારી જમીન આવેલ છે ત્યાં મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવ્યા હતા અને મહાપાલિકાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે તેવામાં આજે સવારે કમિશનર સહિતનો કાલો સામાકાંઠા વિસ્તારમાં પહોંચ્યો હતો અને રોડની વચ્ચે થયેલા કાચા પાકા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યા હતા

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાપાલિકાના પ્રથમ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખાસ કરીને રોડ સાઈડના તમામ દબાણને પ્રથમ દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે સોસાયટી વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યા ઉપર જ્યાં ક્યાં દબાણો થયેલ હોય તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં સોમવારે સવારે 8:00 વાગ્યામાં મોરબી મહાપાલીકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો રીલીફ નગર વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાં કમિશનર દ્વારા અધિકારીઓને સાથે રાખીને રોડ રસ્તાને ચેક કરવામાં આવ્યા હતા તેમજ રીલીફનગર તથા રુણોદયનગર વચ્ચે જે બે રોડ આવેલ છે તે બંનેની વચ્ચેના ભાગમાં સરકારી જગ્યા ઉપર મોટા પ્રમાણમાં દબાણો થયેલ હતા તે દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સરકારી બુલડોઝર ફેરવીને અંદાજે 20 એક જેટલા નાના મોટા કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં આવી જ રીતે સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવશે.






Latest News