મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ફકત મહિલાઓ માટે જ શૌચાલય કયારે બનાવાશે..? : રમેશભાઇ રબારી


SHARE











મોરબીમાં ફકત મહિલાઓ માટે જ શૌચાલય કયારે બનાવાશે..? : રમેશભાઇ રબારી

મોરબીમાં મહિલાઓ માટે એવું શૌચાલય કયારે બનાવાશે..? કે જયાં માત્ર મહીલાઓ જ તે શૌચાલયનો મુતરડી-સંડાસ માટે ફકતને ફકત મહિલાઓ જ ઉપયોગ કરી શકે.તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે.

મોરબી શહેરમાં કોઈપણ જગ્યાએ માત્ર મહિલાઓ માટે જ જાહેર બાથરૂમ કે શૌચાલયની કોઈ વ્યવસ્થા ન હોવાથી.મોરબીમાં ખરીદી માટે આવતી મહિલાઓ ભારે મુશ્કેલીમાં મુકાય જાય છે.અગાઉ મોરબી નગર દરવાજે મહિલાઓ માટે બે બાથરૂમ ઉપલબ્ધ હતા પરંતુ ક્રમશ: તે સાવ નિકળી ગયા છે..! ત્યારે મોરબીમાં નહેરૂગેઇટ ચોક, ગ્રીનચોક, સોની બજાર તેમજ શાકમાર્કેટ જેવા વિસ્તારો કે જયાં હજારોનૂ સંખ્યામાં મહિલાઓની રોજીંદી અવરજવર રહે છે ત્યાં માત્ર મહીલાઓ માટે જ બોય તેવું શૌચાલય બનાવવું જરૂરી બન્યુ છે. અગાઉ શાકમાર્કેટમાં પણ મહીલાઓ માટે બાથરૂમની વ્યવસ્થા હતી જે હાલ નથી.શહેરના જેતે વિસ્તારોમાં સુલભ શૌચાયલ યોજના હેઠળ આવી વ્યવસ્થા કરાવીને મહિલાઓ માટે ઉપયોગી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી ચિફ ઓફિસર સમક્ષ કોંગી આગેવાન રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે તેમજ હાલ તાત્કાલીક અસરથી લોકોહિત કાજે શકય હોય તે જગ્યાએ નહેરૂ ગેઈટ ચોક આસપાસમાં માત્ર મહીલાઓ માટે જ હોય તેવું સુલભ શૌચાયલ સત્વરે બનાવવું જરૂરી બન્યુ છે






Latest News