મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી નાયબ મામલતદારને વિમાની રકમ વ્યાજ સહિત મળી


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી નાયબ મામલતદારને વિમાની રકમ વ્યાજ સહિત મળી

મોરબી મામલતદાર કચેરીમાં સર્વીસ કરતા નાયબ મામલતદાર જયદિપસિંહ ઝાલાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કું.માંથી મેડીકલ વિમો ઉતરાવેલ હતો.તેઓને પગની તકલીફ થતા વિમા કાં.એ વિમો આપવાની ના પાડતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરેલ ગ્રાહક અદાલતે વિમા કંપનીએ જયદિપસિંહ ઝાલાને રૂા. ૨,૬૩,૬૨૭ તથા રૂા. ૭,૦૦૦ અન્ય ખર્ચના ૬ ટકા વ્યાજ સાથે તા. ૧૨-૮-૨૪ ના રોજથી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઈસની વિગત એવી છે કે, નાયબ મામલતદાર જયદિપસિંહ એસ. ઝાલાએ મેડીકલ પોલીસી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કકું. પાસેથી લીધેલી હતી.તેમને જમણા પગમાં હીપ રીપ્લેસમેન્ટની ફરિયાદ હોઈ અમદાવાદની આલોક હોસ્પીટલમાં દાખલ થયેલ અને ત્યાં સારવાર કરાવેલી હતી.તે સારવારનું બીલ રૂા.૨,૬૩,૬૨૭ આવેલ.આ બીલના તમામ કાગળો વિમા કંપનીને સમય મર્યાદામાં આપેલ.પોલીસીમાં એવુ જણાવેલ છે કે કુટુંબનો કોઈપણ સભ્ય બીમાર પડે તો વિમા કંપનીએ રકમ ચુકવવી.તેના બદલે ખુદ વિમા કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કાં. એ ગ્રાહકને વિમો ચુકવવાની ના પાડેલ.જેથી વિમેદારએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતાં મોરબી ગ્રાહક તકરાર નિવારણ અદાલતે વિમા કંપનીને જયદિપસિંહ ઝાલાને રૂા.૨,૬૩,૬૨૭ અને રૂા.૭,૦૦૦ ખર્ચના મળી કુલ રૂા.૨,૭૦,૬૨૭ તા.૧૨-૮-૨૪ થી ૬ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.ગ્રાહકે વિમો લેતા પહેલા તમામ વિગતો અને નિયમોની જાણકારી મેળવી લેવી જરૂરી છે.છતાં કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News