મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ


SHARE











વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી ચોરી કરેલા ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બાઇક ચોરીના બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરીને પોલીસે મુદામાલને પણ કબજે કરેલ છે

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ.જાડેજા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુના ડીટેકટ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા અને જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ખાતે અસરકાર વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન મોરબી તરફથી એક બાઇક આવી રહ્યુ હતુ તે બાઇકને રોકીને પોલીસે આવતા બાઇક લઇને જતા શખ્સ પાસે બાઇકના કાગળો માંગ્યા હતા ત્યારે તે ગલ્લા-તલ્લા કરતા બાઇક ચાલકની સધન પુછપરછ કરતા વાંકાનેર જયોતિ સેનેટરીમાથી બાઇકની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય એક બાઇક વાંકાનેર સોમાણી સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ૧.૩૫ લાખની કિંમતના બે ચોરાઉ બાઇકનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા (૨૧) હાલ રહે. મોરબી લીલાપર ચોકડી પાસે ઝુપડામા મોરબી મુળ રહે. અંજાર સરકારી દવાખાના પાછળ હનુમાન ટેકરી જીલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ.જાડેજાની સુચના મુજબ ધર્મેન્દ્રકુમાર અંબારામભાઇ, યશપાલસિંહ ભવાનસિંહ, વનરાજસિંહ અભેસિંહ, બળદેવસિંહ મહાવીરસિંહ, વિરેન્દ્રસિંહ હરભમજી, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ, રાણીંગભાઇ નાજભાઇ, ભરતભાઇ વાલજીભાઇ તથા હિતેન્દ્રસિંહ મનુભા દ્વારા કરવામાં આવી હતી.






Latest News