વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

પ્રગતિશીલ કિશાન: મોરબીના આંદરણા ગામે રહેતા ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મેળવેલ જીરુંના પાકનો બમણા ભાવ છતાં મોટી ડિમાન્ડ


SHARE











પ્રગતિશીલ કિશાન: મોરબીના આંદરણા ગામે રહેતા ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મેળવેલ જીરુંના પાકનો બમણા ભાવ છતાં મોટી ડિમાન્ડ

સામાન્ય રીતે ખેડૂતો દ્વારા ખેતીના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે થઈને રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ છેલ્લા વર્ષોથી ખેડૂતો હવે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે જેના કારણે તેઓને ઓછી મહેનત અને ઓછા ખર્ચથી બમણી આવક થતી હોય તેવું જોવા મળે છે તેવામાં મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી જીરુંનો પાક મેળવવામાં આવ્યો છે. જેથી તેઓને બમણી આવક થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી તાલુકાના ખેડૂતો દ્વારા શિયાળા દરમિયાન ઘઉં, જીરું, ડુંગળી, લસણ વગેરે જેવા પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે અને પોતાના ખેતરમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે તેને ખેડૂતો રાસાયણિક ખાતર, યુરિયા ખાતર અને દવાઓનો ઉપયોગ કરે છે જોકે મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા કિરણભાઈ સવજીભાઈ અઘારા દ્વારા પોતાના ખેતરની અંદર છેલ્લા ચારથી પાંચ વર્ષથી ઓર્ગેનિક ખેતી શરૂ કરવામાં આવી છે અને ચોમાસા દરમિયાન તેઓએ પોતાના ખેતરમાં ગુવારના પાકનું વાવેતર કર્યું હતું જો કે, તે પાક નિષ્ફળ જવાના કારણે તે પાકને કાઢી નાખીને તેમણે ઓર્ગેનિક પદ્ધતિથી જીરુંના પાકનું વાવેતર કર્યું હતું અને તેમની 22 વીઘાની ખેતીમાંથી હાલમાં સાડા છ વીઘા જમીન ઉપર તેઓ દ્વારા ઓર્ગેનિક ખેતી કરીને જીરૂનો પાક મેળવવામાં આવેલ છે.

જીરુનો પાક જોવા આવેલ ખેડૂત દીપકભાઈ હરદાસભાઈએ કહ્યું હતું કે, કોઈપણ ખેડૂતને પોતાના ખેતરની અંદરથી જીરૂનો પાક મેળવવો હોય તો તેમાં બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી વિગેરેનો હિસાબ કરે તો એક વીઘે અંદાજે પાંચથી છ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે જેની સામે કિરણભાઈ અઘારા પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી તેમને માત્ર 3500 થી 4000 જેટલો વિઘે ખર્ચો આવે છે અને જો ઉત્પાદનની વાત કરીએ તો સામાન્ય રીતે ઉત્પાદન મળતું હોય તેના કરતાં ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન વધુ મળે છે આટલું જ નહીં પરંતુ ઓર્ગેનિક વસ્તુઓની ડિમાન્ડ છેલ્લા વર્ષોથી ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ સમગ્ર દેશની અંદર વધી રહી છે જેથી કરીને ઓર્ગેનિક ખેતી કરીને મેળવેલા પાકની આવક પણ બમણી થતી હોય છે

તો ચંદુભાઈ કારોડિયાએ કહ્યું હતું કે, કિરણભાઈ અઘારા દ્વારા પોતાના ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરીને જીરુંનો પાક લેવામાં આવ્યો છે જેથી ઘણા ખેડૂતો તેમના ખેતરે જીરુંના પાકને જોવા માટે આવતા હોય છે અને ખાસ કરીને જીવામૃતનો ઉપયોગ કરીને તેઓએ કોઈ પણ પ્રકારના ખાતરના ઉપયોગ વગર જે રીતે તેઓએ ખેતી કરી છે તે જોતાં અન્ય ખેડૂતો પણ પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરીને કિરણભાઇની જેમ બમણી આવક મેળવવા માટેના હવે પ્રયત્ન કરશે તેવું કહી રહ્યા છે

અત્રે ઉલેખનીય છે કે, મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પાક મેળવવા માટે થઈને બેફામ રીતે રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કર્યો હોય હવે ખેતીની જમીનને સુધારવા માટે અને ઓર્ગેનિક ખેતી કરવા માટે થઈને લગભગ ત્રણથી ચાર વર્ષ જેટલો સમય ખેડૂતોને તેની ખેતીની જમીનમાં ભોગ દેવો પડશે તે નિશ્ચિત છે. પરંતુ ત્યાર બાદ ઓછા ખર્ચ અને ઓછી મજૂરીએ કિરણભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતની જેમ બમણી આવક અન્ય ખેડૂત પણ મેળવી શકશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News