મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો


SHARE











મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો

આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆનો ૬૬ મો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવવામાં આવ્યો હતો. આરએસએસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત વીર સાવરકર બાલ સંસ્કાર કેન્દ્ર જે રોહિદાસપરામાં આવેલું છે. બાલિકા પ્રીતિબેન ચાવડા દ્વારા કુમકુમ તિલક સાથે ડૉ. સાહેબ નું સ્વાગત તથા આ વિસ્તાર ના લોકો એ પ્રાર્થના,શ્લોક સાથે ૨૧ દીવડાઓ પ્રગટાવી ને ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆને શુભ કામનાઓ આપવામાં આવી હતી ત્યાર બાદ ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆ તરફથી બાલ સંસ્કાર કેન્દ્રના તમામ બાળકોને સ્કુલ બેગ તથા પરીક્ષા કીટ ભેટમાં આપવામાં આવી હતી. સામાજિક સમરસતાના ભાવ સાથે સ્થાનિક રહીશો દ્વારા ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆને ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની સુંદર કૃતિ ભેટમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, મનસુખભાઇ કાવર તથા કેન્દ્ર સંચાલિકા સવિતાબેન હરેશભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. અને સ્થાનિક અગ્રણીઓ અશોકભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ ચાવડા,પ્રવીણભાઈ સોલંકી, અશોકભાઈ રામાણી, જગદીશભાઈ ચાવડા, કિશોરભાઈ વાઘેલા તથા દિલીપભાઈ દલસાનીયા ઉપસ્થિત રહ્યા હતા.




Latest News