મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા બાકીદારોની ૯ મિલકતોને સીલ કરાઇ: જપ્તી-ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ


SHARE











મોરબી મહાપાલિકા દ્વારા બાકીદારોની ૯ મિલકતોને સીલ કરાઇ: જપ્તી-ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ

મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧ લાખથી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને ગત તા. ૧/૧/૨૦૨૫ થી ૯/૨/૨૦૨૫ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ છે. જેમાંથી ૪૨ મિલકત ધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા ૯ મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ ૭૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગત તા. ૧૫૦૨/૨૦૨૫ ના રોજ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર સંજય કુમાર સોની તથા ટેકસ શાખાની ટીમ દ્વારા ૬ મિલકત જપ્તી-ટાંચમાં લેવામાં આવી હતી. જેમાંથી ૫ મિલકત ધારકો દ્વારા સ્થળ પર જ ચેક અને રોકડ-રકમ આપીને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન ૧ મિલકતને સીલ કરવામાં આવી હતી. મોરબી શહેરની જનતાને બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનર (પ્રોજેકટ) મોરબી મહાપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News