મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીમાં ગેસ લીકેજના કારણે રૂમમાં ચૂલો ચાલુ કરતાંની સાથે જ આગ લાગી હતી જે ઘટનામાં યુવાન ગંભીર રીતે દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું  મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચાર રસ્તાથી નવલખી તરફ જવાના રસ્તા ઉપર આવેલ બાલા બેકરીની ઓરણીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ યુપીના રહેવાસી પલ્લુરામ તોતારામ નિશાદ (19) નામનો યુવાન ગત તા. 19/12 ના વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે કામ પૂરું કરીને કિચનમાં ચા બનાવવા માટે થઈને ગયો હતો ત્યારે કિચનમાં ગેસના ચૂલાનો વાલ્વ ખુલ્લો રહી ગયો હોવાથી કે પછી ગેસ લીકેજના કારણે ચૂલો ચાલુ કરવા જતાની સાથે લાઇટર કરતા જ ત્યાં આગ લાગી હતી જે આગમાં યુવાન આખા શરીરને ગંભીર ટીતે દાજી ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની ચિરાગભાઈ દામજીભાઈ ભોરણીયા (33) રહે. સીતારામ પેલેસ પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News