મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે  પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા


SHARE











આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે  પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા

મોરબીના કોંગી અગ્રણી અને રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતીલાલ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી બજેટમાં મોરબીના સીરામીક ઉદ્યોગ તથા ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહન મળી રહે તેવા પ્રકારની જોગવાઈઓ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.હાલના સંજોગોમાં જે પ્રકારે બજારમાં મંદિનો માહોલ છે.તેમાંથી ઉગરવા માટે અને છેવાડાના લોકોને રાહત મળે તે માટે મોરબીના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવે અને તેને પ્રોત્સાહન મળે તેવી પ્રોત્સાહક યોજનાઓ બજેટમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં જણાવ્યા મુજબ ફેબ્રુઅરી માસમાં કેન્દ્ર સરકારનું તેમજ રાજ્ય સરકારનું બજેટ આવશે.તેમાં મોરબીના ઉધોગોને ધ્યાને લઇ સારી પ્રોત્સાહક સ્કીમો લાવવામાં આવે તે જરૂરી છે.કેમ કે મોરબી જીલ્લાની ઓળખ સમાન સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ જે હાલમાં મંદીનો સામનો કરી રહેલ છે.તો તેને પ્રોત્સાહન મળે તે માટે અગામી બજેટમાં યોગ્ય જોગવાઈઓ કરવામાં આવે અને તે માટે મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકારમાં પણ ભલામણ કરવામાં આવે અને રાજ્ય સરકારના બજેટમાં પણ યોગ્ય જોગવાઈ થાય તેવું કરવા માંગ કરવામાં આવેલ છે.ખાસ કરીને એક્ષ્પોર્ટ કરતા યુનિટોને સ્પેશિયલ વધારાના બેનીફીટ આપવામાં આવે તેવી લાગણી અને માંગણી કાન્તિલાલ ડી.બાવરવા દ્રારા વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News