મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંભીર મારામારીમાં તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા ૫ વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા


SHARE











મોરબીમાં ગંભીર મારામારીમાં તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા ૫ વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા

મોરબીમાં ગંભીર મારામારીમાં તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા ૫ વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા છે.આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના આરોપીઓએ અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને માથાના ભાગે તલવાર વડે ઈજા કરી આ કામના અન્ય આરોપીઓએ ફરીયાદીને તથા તેની પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી એકબીજાને ગુનામા મદદગારી કરી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા મુજબનો ગુનો નોંધવામાં આવેલ.મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ૨૦૧૯ માં ગુનો નોંધીને આ કામના આરોપી એવા શૈલેશભાઈ રવજીભાઈ ઉર્ફે નાથાભાઈ જાદવ, રવજીભાઈ ઉર્ફે નાથાભાઈ મંગાભાઈ જાદવ, ચંપાબેન રવજીભાઈ, વીજુબેન ઉર્ફે વર્ષાબેન શૈલેશભાઈ જાદવની ધરપકડ કરવામાં આવી હતી.તમામ આરોપીઓએ તેના વિરુધ્ધના આ કેસમાં બચાવ કરવા મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જે.ડી.સોલંકીને રોકેલા હતા.

આ કામે ફરીયાદપક્ષ દ્વારા ફરીયાદી, તથા અન્ય સાહેદોના પુરાવાઓથી ચોકકસ કયા હથીયાર દ્વારા તેઓને ઇજા કરવામાં આવેલ તે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા ડોકટરના પુરાવામાં ઈજા પામનારને તલવારથી ઈજા કરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો આવેલ નથી.તથા તપાસ કરનાર અધીકારીની જુબાનીમાં પણ ચોકકસ કયા હથીયારથી ફરીયાદીને ઈજા કરવામાં આવેલ તે નકકી થયેલ ન હોય, ફરીયાદી તથા સાહેદોની જુબાનીમાં ઘણો વિરોધાભાષ રેકર્ડ ઉપર આવેલ છે.તમામ પુરાવાના અંતે આરોપી પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષેથી ફરીયાદથી વિરુધ્ધની અને વીપરીત હકીકત જણાવાયેલ છે. અને ઈજા પામનાર ફરીયાદીએ ડોકટરને ઘોકાથી ઈજા થયેલનું જણાવેલ અને ફરીયાદમાં તલવારથી ઈજા થયેલ તેમ જણાવેલ.અને ફરીયાદી તેની કોર્ટ રૂબરૂની જુબાનીમાં તેને જે તલવારથી ઈજા થયેલ તે તલવાર પણ ઓળખી શકેલ નથી.તપાસ કરનાર અધીકારીએ તલવાર કબ્જે કરેલ છે પરંતુ ધોકો કબ્જે કરવામાં આવેલ નથી.અન્ય સાહેદોના પુરાવાઓમા કોઈ સાહેદ ધોકાથી ઈજા થયાનુ જણાવે છે. તો કોઈ સાહેદ તલવારથી ઈજા થયેલનું જણાવે છે તો કોઈ સાહેદ ઈંટથી ઈજા થયેલનું જણાવેલ છે.જેથી હાલના કામે ઈજા કયા હથીયારથી થયેલ તે ફરીયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી.

આમ સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી તેમજ આરોપીઓએ આ શિક્ષાપાત્ર ગુનો કરેલ હોવાનું નિઃશંકપણે સાત્ત્યસભર, સબળ, વિશ્વસનીય, માનવા લાયક, આધારભૂત પુરાવાથી પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માન્ય રાખીને નામદાર કોર્ટે ભયાનક શસ્ત્રથી કરેલ ઈજાનો ગુનો પુરવાર ન થતો હોય તમામ આરોપીને તા.૧૭-૧-૨૫ ના રોજ નીર્દોષ છોડી મુકવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરેલ છે.આ કામે બચાવ પક્ષે યુવા વકીલ જીતેન્દ્ર ડી.સોલંકી, દેવકરણ એ.પરમાર, નરેશ પી.ડાભી, મયુર ડી.ઉભડીયા, દીપક એમ.મકવાણા, પીન્ટુ ડી.પરમાર, હીના એન.સાંઘાણી, આરતી એસ.અમૃતીયા, કીંજલ આર.જીવાણી, રોકાયેલા હતા.




Latest News