સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સમૂહલગ્નનું આયોજન


SHARE











મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સમૂહલગ્નનું આયોજન

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 20 ને સોમવારના રોજ ખોખરા હનુમાન મંદિરે ખાતે આ સમૂહલગ્ન યોજાશે. અને ત્યારે  દીકરીઓ સંતો મહંતોની હાજરીમાં પ્રભુતામાં ડગ માંડશે.

મોરબી નજીકના બેલા ગામે આવેલ ખોખરા હનુમાન મંદિરે આગામી તા 20 ના રોજ સમૂહલગ્નનું અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં ખોખરા હરીહરધામના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, નકલંકધામ બગથળાના દામજી ભગત, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રભુચરણદાસજી મહારાજ અને રામઘન આશ્રમના ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહેશે. આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો પણ હાજર રહેશે. ત્યારે બપોરે 3 વાગ્યે જાન આવશે અને સાંજે 6 વાગ્યે હસ્ત મેળાપ કરાવવામાં આવશે અને ત્યાર બાદ સાંજે 7 વાગ્યે ભોજન રાખવામા આવેલ છે. આ તકે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને દાતાઓના સહયોગથી જીવન જરૂરી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થાના પ્રમુખ હેતલબેન પટેલ અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News