જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જમીન મંજૂર


SHARE











મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જમીન મંજૂર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો જેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે તેને અરજી કરવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલો તથા પુરાવોને ધ્યાન રાખીને આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ભોગ બનનાર સગીરાની માતાએ સુરજ રામભરોસા રાજભર નામના શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવેલ હતી જેથી વાંકાનેર તાલુકો પોલીસ દ્વારા આરોપી સુરજ રામભરોસા રાજભરની ધરપકડ કરવામાં આવી હતી અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન આ કેસની પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કર્યા બાદ આરોપીના રેગ્યુલર જમીન માટે મોરબીના સિનિયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા મેનાબેન એ. પરમાર મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલો તથા પુરાવાઓને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબે આરોપીને 25,000 ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરવાનો હુકમ કરેલ છે.






Latest News