હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઊંચાઈએથી નિચે પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીમાં ઊંચાઈએથી નિચે પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના સામાકાંઠે આવેલ વિસ્તારમાં રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો યુવાન છત ભરવાનું કામકાજ કરતો હતો તે દરમિયાન તે ઊંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હાલ આ બાબતે નોંધ થતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સિટીના પાછળના ભાગે ઉમિયાનગર વિસ્તારમાં નવા બની રહેલા બાંધકામ ખાતે રહેતો અને મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના થાંદલા થાનાના મિયારી ગામનો વતની પપ્પુભાઈ બહાદુરભાઈ ભુરીયા નામનો ૩૧ વર્ષનો યુવાન ગત તા.૨૪-૧૨ ના રોજ ઉમિયાનગર વિસ્તારમાં છત ભરવાનું કામકાજ કરી રહ્યો હતો.ત્યારે કામ દરમિયાન ઉંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી ઇજા પામતા શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગત તા.૨૯-૧૨ ના રોજ તેનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને અંતિમવિધિ માટે તેના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ જવામાં આવ્યુ હતુ.ત્યાં પીએમ કરવામાં આવ્યું હતું.જેથી ત્યાં થયેલ પોલીસ તપાસના કાગળ હાલ મોરબી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવ્યો છે અને આ બાબતે આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

છાતીમાં દુખાવા બાદ વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અમુભાઈ નરસંગભાઇ બાલાસરા નામના ૬૦ વર્ષના વૃદ્ધને આજે તા.૧૦-૧ ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના આરસામાં તેઓના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાં જોઈ તપાસીને ડોક્ટર દ્વારા અમુભાઈ બાલાસરાને મૃત જાહેર કરાયા હતા અને આ બનાવ અંગે હાલ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવની વધુ તપાસ માટે માળિયા પોલીસને જાણ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપથી આગળ વેજીટેબલ રોડ ઉપર વાડી વિસ્તારમાં રહેતા નાનુંબેન મોહનભાઈ દેગામા નામના ૫૯ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે વેજીટેબલ રોડ ઉપર આવેલા લાભનગર નજીક તેઓનું બાઈક અકસ્માતે રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં નીચે પટકાતા નાનુબેન દેગામાને ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઇ છે.






Latest News