ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ-સ્ટાફની નિમણૂક કરવાની માંગ


SHARE











મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ-સ્ટાફની નિમણૂક કરવાની માંગ

મોરબી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ, સ્ટેનો ક્લાર્ક, બેલીફ અને પટ્ટાવાળાની જગયા ખાલી છે જેથી સમયસર કામ થતું નથી માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સીએમને લેખિત રજૂઆત કરીને સ્ટાફની નિમણૂક કરવા માગ કરવામાં આવી છે.

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિક શહેર હોય ગ્રાહક અદાલતના ઘણા બધા કેસો આવે છે. જો કે, મોરબીમાં મહિનામાં એક જ વખત કોર્ટ ખુલે છે. અને ન્યાયમૂર્તિ પણ રાજકોટથી આવે છે. જ્યારે સભ્ય, ક્લાર્ક અને પટ્ટાવાળા જામનગરથી આવે છે. જેથી કરીને કામમાં વિલંબ થાય છે માટે અરજદારોને લાંબા સમય સુધી ન્યાય મેળટી નથી જેથી મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ અને સ્ટાફની નિમણૂક કરવાની માંગ કરી છે.






Latest News