મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા તે અંગેનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની આર્ટ્સ કોલેજમાં લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા તે અંગેનો કાર્યક્રમ યોજાયો

મોરબીની શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા ગાયન અંગેનો એક કાર્યક્રમ રાખવામા આવેલ હતી અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની પરંપરા જાળવી રાખવા લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા થાય તે રાખવામાં આવેલ હતો. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાયેલી સ્વયંસેવિકા બહેનો લગ્ન ગીતો વધુને વધુ શીખે અને ગાતી થાય તે માટે આ કાર્યક્રમમાં સમજાવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં તાલીમ અને લગ્ન ગીતોની પ્રેક્ટિસ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું  છે અને આ કાર્યક્રમમાં લગ્ન ગીતો પર પીએચડી કરનાર કોલેજના પ્રાધ્યાપક ડો. રાજાભાઈ કોડિયાતરે તજજ્ઞ વક્તવ્ય આપેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સ્વયંસેવક દ્વારા ઓછામાં ઓછું કોઈપણ એક ગાયન રજૂ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામ વારોતરિયા તથા ડૉ. કવિતાબા ઝાલા દ્વારા કરવામાં આયુ હતું.






Latest News