મોરબીના ટીંબડી ગામ પાસે ડમ્પર સાથે કાર અથડાતા સારવારમાં રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત
મોરબી પાલિકા વાહન વેરો અમલમાં મૂકશે તો આમ આદમી પાર્ટી કરશે આંદોલન
SHARE
મોરબી પાલિકા વાહન વેરો અમલમાં મૂકશે તો આમ આદમી પાર્ટી કરશે આંદોલન
મોરબી પાલિકાએ વાહનકર માટેની તૈયારી કરેલ છે અને જાહેર નોટિસ આપેલ છે ત્યારે જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા લોકોના હિતને ધ્યાને રાખીને વાહનકર વિરુદ્ધ વાંધા અરજી અને લેખિત આવેદનપત્ર આપેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલિકા દ્વારા કોઈપણ વ્યક્તિ વહાન લે તો વહાનકર ચુકવવો પડશે. તેના માટેની કાર્યવાહી કરેલ છે. હાલમાં રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, આરોગ્યની સુવિધાનો અભાવ હોવા છતાં પાલિકા દ્વારા વહાનકર નામનો વેરો આમ જનતા પર નાખવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને આર્થિક ઘણું સહન કરવું પડે તેવી પરિસ્થિતી ઊભી થવાની છે જેથી નાના લોકોની રોજીરોટી ન છીનવાઇ તે માટે વાહન કર અમલમાં ન મૂકવામાં આવે તેવી માંગ કરી છે. અને છતાં પાલિકા દ્વારા આ કર લગાવવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને હાલમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના ઠરાવ વિરુદ્ધ 50 જેટલી વાંધા અરજીઓ આપવામાં આવેલ છે. આ તકે જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.