મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સાર્થક તુલસી દિવસ સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું આયોજન


SHARE











મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સાર્થક તુલસી દિવસ સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું આયોજન

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે છેલ્લા આઠ વર્ષથી સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી તા. 25 ડિસેમ્બરના રોજ સાર્થક વિદ્યામંદિર દ્વારા નવ મો સાર્થક તુલસી દિવસ ઉજવવામાં આવશે. અને તેની સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ખાતે તા. 25 ડિસેમ્બરે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે તુલસી પૂજન, તુલસી સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ, તુલસી પ્રદર્શની અને તુલસી રોપા તેમજ માંજર વિતરણનો કાર્યક્રમો યોજાશે. તેની સાથોસાથ તા. 24 અને 25 ના રોજ સવારે 9:00 થી સાંજે 5:00 સુધી બિઝનેસ કાર્નિવલનું પણ આયોજન કરાયું છે. જેમાં ધો. 9 થી 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નિર્માણ, એથીકલ ઇકોનોમિક્સ વે ઓફ બિઝનેશ, કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન, નેટવર્કિંગ માટે યોગ્ય તક, કોમ્યુનિકેશન સ્કિલ, વાસ્તવિક વ્યાપારી વિશ્વને સમજવું જેવી માહિતી આપવામાં આવશે. તેમજ તા 25 ડિસેમ્બરના રોજ સવારે 9:00 થી 12:30 સુધી પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન રાખવામા આવેલ છે. જેમાં વર્ષ 2017 થી 21 સુધીના વર્ષમાં ધો. 12 પૂર્ણ કરેલા હોય તે વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાશે તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે.






Latest News