મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામ નજીક રાજસ્થાનના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા


SHARE











મોરબીના અણીયારી ગામ નજીક રાજસ્થાનના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગળી તાલુકાના દદુકા ગામના રહેવાસી પુરીબેન સંજયભાઈ મહવઇ (35) નામના મહિલાએ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં આવેલ ગોવિંદભાઈ દેસાઈના ખેતરના સેઢા પાસે તેઓના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઇ (35) ને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા તા 25/8/24 ના રોજ બપોરે ત્રણેક વાગ્યના અરસામાં મરવામાં આવ્યા હતા જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ હત્યાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.મકવાણા ચલાવી રહ્યા છે.






Latest News