મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ગામે વાંચનાલય આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ કરી માંગ


SHARE











મોરબીના ત્રાજપર ગામે વાંચનાલય આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ કરી માંગ

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ એડવોકેટ અને ભરવાડ સમાજના અગ્રણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કરસનભાઈ ભરવાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં મુખ્યમંત્રીને ઉદેશીને લખાયેલા પત્રમાં તેઓ જણાવ્યું છે કે ત્રાજપર વિસ્તારમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને સામાકાંઠે અનેક સોસાયટી આવેલ છે તે ઉપરાંત ત્યાં શાળા કોલેજો પણ આવેલા છે જેથી યુવાનો અને વૃદ્ધો માટે વાંચનાલય બનાવવામાં આવે તે જરૂરી છે અને ત્યાં ધાર્મિક તેમજ ઉચ્ચ અભ્યાસને લગતા, સ્પર્ધાત્મક તૈયારીઓને લગતા પુસ્તકો તેમજ દૈનિક વર્તમાન પત્રો તે ઉપરાંત સ્વતંત્ર સેનાનીઓ અને ભારતનો ઇતિહાસ ઉજાગર કરતા શહીદ વીરો જેમ કે ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાલાલ નહેરુ, સ્વામી વિવેકાનંદ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વના પુસ્તકો અને જીવન ચરિત્રો જો વાતનાલયમાં મૂકવામાં આવે તો આસપાસના ઘણા વિસ્તારોને તેનો લાભ મળે તેમ છે. માટે મોરબીના ત્રાજપર વિસ્તારમાં ગ્રામ પંચાયતની હદમાં વાંચનાલય આપવામાં આવે તેવી લોકો હતીમાં માંગ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે આજનું યુવા ધન મોબાઈલમાં રચ્યુ પચ્યું રહેતું હોય ત્યારે વંચનાલય બનાવવામાં આવશે તો યુવાનો વાંચન તરફ વળશે અને તેઓનું મગજ શાંત રહેશે, ખોટા વિચારો નહીં આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળતા બચી જશે જેથી કરીને ત્રાજપર વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News