મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ


SHARE











મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ

26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે જુદીજુદી જગ્યાએ કાર્યક્ર્મ યોજવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું પઠન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, લાલતિભાઈ કસૂન્દ્રા, ભાવિકભાઈ મૂછડિયા, ટીનાભાઈ પટેલ, દીપકભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ વિડ્જા, વસિમભાઇ મન્સૂરી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.






Latest News