ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ


SHARE











મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ

26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે જુદીજુદી જગ્યાએ કાર્યક્ર્મ યોજવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું પઠન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, લાલતિભાઈ કસૂન્દ્રા, ભાવિકભાઈ મૂછડિયા, ટીનાભાઈ પટેલ, દીપકભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ વિડ્જા, વસિમભાઇ મન્સૂરી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.






Latest News