સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન


SHARE











મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન

મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ સહિતના કલાકારો જમાવટ કરશે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી માં રસ્તે રખડતા નંદીઓ માટે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. હવે તેના ભાગ રૂપે  વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ સહિતના કલાકારો જમાવટ કરશે અને આ ડાયરાની તા. 21/12/24 ને શનિવાર રાખવામા આવેલ છે અને ન્યુએરા સ્કૂલથી આગળના ભાગમાં આવેલ ઉમા બંગલોઝની બાજુમાં રાખવામા આવેલ છે. આ લોકડાયરામાં સહુ જીવદયા પ્રેમી મિત્રોને આવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News