મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બગીચાઓમા રમત ગમતના સાધનો-બાકડા મૂકવા કોંગ્રેસની પાલિકામાં રજુઆત


SHARE







મોરબીના બગીચાઓમા રમત ગમતના સાધનો-બાકડા મૂકવા કોંગ્રેસની પાલિકામાં રજુઆત

મોરબી એ ગ્રેડની પાલિકા છે તો પણ આજની તારીખે એક પણ સારો બગીચો મોરબીમાં રહ્યો નથી અને લોકોને હરવા ફરવા કે બેસવા માટેની કોઈ જગ્યા રહી નથી ત્યારે જે વર્ષો જૂના બાગ બગીચા છે ત્યારે બાંકડા મૂકવામાં આવેલ નથી. જેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી દ્વારા સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગમાં બાકડા અને બાળકો માટે રમત ગમતના સાધનો મુકવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.

હાલમાં કોંગ્રેસનાં મંત્રી સૂરપાલસિંહ જાડેજાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં એક સમયે સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગ લોકો માટે આનંદ પ્રમોદ માટેના ઉત્તમ સ્થાન હતા જો કે, હાલમાં તેની સ્થિતિ અતિદયનીય છે આ ત્રણેય બગીચામાં આજની તારીખે લોકોને બેસવા માટેના બાકડા તેમજ બાળકોને રમવા માટેનો કોઈ સાધનો નથી અને વર્ષો પહેલા જે મૂકવામાં આવેલ હતા તે હીંચકા સહિતના સાધનો તૂટી ગયેલ છે અને બાળકોને નુકશાન કરે તેવી સ્થિતિમાં છે તો પણ તેને રીપેર કરવા માટેની દરકાર કયારે પણ પાલિકાએ લીધેલ નથી જેથી કરીને આ ત્રણેય બગીચામાં હીંચકા સહિતના સાધનો અને લોકોને બેસવા માટેના બાકડા મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કે, બાગ બગીચાની કાયાપલટ કયારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News