ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી સાર્વજનીક મહાકાલી પુજા કમિટિ દ્વારા કાલી પુજા શરૂ, ડો. જયંતિભાઇ ભાડેશીયાએ પંડાલ ખુલ્લો મુકાયો


SHARE











સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા મોરબીમાં દર વર્ષે દિવાળીના દિવસે મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં મહાકાલી પૂજા નું આયોજન કર્યું છે જેનું ઉદ્ઘાટન આજે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ તથા મોરબીના નગરજનો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને આગામી ચાર દિવસ સુધી ત્યાં માતાજીનું પૂજન, અર્ચન, દર્શન  અને પ્રસાદનો લાભ લેશે.

સમગ્ર દેશની અંદર મહાકાલી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બંગાળમાં પૂજાનું વિશેષ મહત્વ હોય છે જોકે છેલ્લા 19 વર્ષથી મોરબીમાં સાર્વજનિક મહાકાલી પૂજા કમિટી દ્વારા મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં દિવાળીના દિવસથી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે અને પશ્ચિમ ક્ષેત્ર ના સંઘ ચાલક ડો. જયંતિભાઇ ભાડેશિયા ના હસ્તે કાલી પૂજાના પંડાલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જ મોરબીમાં સોની સમાજ, બંગાળી સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને માતાજીના પૂજન, અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો વધુમાં આયોજકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આજથી ચાર દિવસ સુધી મહાકાલી પૂજા ના પંડાલમાં દરરોજ બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધી તથા રાત્રિના 9:30 થી 10:30 સુધી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ દર્શનાર્થીઓને ખીચડી પ્રસાદ પણ આયોજકો દ્વારા આપવામાં આવતો હોય છે અને આગામી તા. 3/11 ને રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે દરબાર ગઢથી વિસર્જન યાત્રા શરૂ કરાશે તેવી માહિતી આયોજકો પાસેથી જાણવા મળે છે.




Latest News