મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી નિમિત્તે વાનગી-લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા યોજાઇ


SHARE











મોરબી સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી નિમિત્તે વાનગી-લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા યોજાઇ

મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા રાખવામાં આવી હતી. અને પ્રભાત તેમજ ધોરણ ૧ થી ૧૦ના વાલીઓએ બંને પ્રતિયોગીતામાં ભાગ લીધેલ હતો. આ તકે વિશેષ અતિથિ શીતલબેન પ્રશાંતભાઈ સીતાપરા જે વિદ્યાલયના સક્રિય વાલી છે તે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંચસ્થ કાર્યકર્તા નિર્ણાયક ટીમ અને કાર્યકર્તાઓનો પરિચય થયો જેમાં નિર્ણાયક ટીમમાં વીરજીભાઈ ગોરીયા, ભાવેશભાઈ જેતપરિયા, વિદ્યાલયના આચાર્ય મેહુલભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. દુહા, છંદ, ભજન, લોકગીત, લગ્નગીત, વિદાય ગીત વગેરે પ્રસ્તુતિઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. આ બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અંતે સમાપનમાં વાનગી પ્રતિયોગિતાના નિર્ણાયક ચેતનાબહેન લાલાણી, લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતાના નિર્ણાયક મેહુલ શેઠ, ભાવેશભાઈ જેતપરિયા, શીતલબેન સીતાપરા એ કાર્યક્રમને અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યાર બાદ નિર્ણાયકો, અતિથિ વિશેષ અને વ્યવસ્થાપકો દ્વારા સ્મૃતિ ચિન્હનો, ભેટ, પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરનારને  પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.






Latest News