મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૪૬૫ ખેડૂત ભાઈઓ-બહેનોએ પ્રાકૃતિક કૃષિની માહિતી-માર્ગદર્શન મેળવ્યું


SHARE







મોરબી જીલ્લામાં ૪૬૫ ખેડૂત ભાઈઓ-બહેનોએ પ્રાકૃતિક કૃષિની માહિતી-માર્ગદર્શન મેળવ્યું

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત મોરબીમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત ૧૪ ઓક્ટોબર ના રોજ જિલ્લાના તમામ પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અને પ્રવાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાકૃતિક કૃષિ એટલે ઝેરમુક્ત કૃષિ, પ્રાકૃતિક કૃષિ એટલે માનવજીવન માટે આશિર્વાદ સમી કૃષિ. આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ એ તાતી જરૂરિયાત છે, ત્યારે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેકટ મોરબી દ્વારા મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વિષે તાલીમ અને મોડલ ફાર્મની મુલાકાત કરાવી પ્રાકૃતિક કૃષિ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ અને મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનાં ફાયદાઓ વિષે ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયનું પાલન પોષણ કરી શકે છે, સાથે આપના પરિવારને ગાયનું દૂધ મળે છે અને ગૌમૂત્રનો ઉપયોગ પ્રાકૃતિક કૃષિમાં કરીને ઘણો બધો ખેતી ખર્ચની બચત કરી શકાય છે આમ અનેક ફાયદાઓ ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં વધારે માં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પ્રગતિશિલ ખેડૂતોના ફાર્મ પર મુલાકાત કરાવવામાં આવી હતી.






Latest News