મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીએ શસ્ત્રપૂજા, વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન


SHARE











વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીએ શસ્ત્રપૂજા, વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન

વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા 17મો રાસોત્સવ, વિજયાદશમી મહોત્સવ, શસ્ત્ર પુજન, રેલી, વિદ્યાર્થી સન્માન સમારંભ સમુહ પ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમોનું સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય કાર્યક્રમોમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેર સ્ટેટના મહારાજા અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ડી. ઝાલા, મહારાણી યોગીનીકુમારીબા કે. ઝાલા, રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય જામનગર), નરેન્દ્રસિંહ જાડેજા (ડે.મેયર રાજકોટ) હરદેવસિંહ ટી. જાડેજા (ચેરમેન જમીન વિકાસ બેંક ગોંડલ) કૈલાસબા એચ. ઝાલા (પ્રમુખ તા.પંચાયત વાંકાનેર), કે.જી. ઝાલા (ડીવાયએસપી ગોંડલ), હરદેવસિંહ દિલુભા ઝાલા, સુજાનસિંહ વી. ચુડાસમા, આર.કે. જાડેજા (ક્રાઈમ બ્રાંચ રાજકોટ) વાંકાનેર રાજપૂત સમાજ પ્રમુખ વજુભાઈ સજુભા ઝાલા સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 જેમાં તા.8થી 10 ત્રિદિવસીય રાસોત્સવ અત્રે દિગ્વીજયનગરમાં આવેલ ધોળેશ્ર્વર મહાદેવના પટાંગણ (પેડક) ખાતે યોજાશે તેજ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ, સમુહ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

 ક્ષત્રિય રાજપુત સમાજનો સૌથી મોટો તહેવાર ગણાતા વિજયાદશમી (દશેરા)ના પાવન દિને નેશનલ હાઈવે ખાતે આવેલ ગરાસીયા બોર્ડીંગ ખાતે સમુહ શસ્ત્ર પુજન યોજાશે ત્યારબાદ બપોરે બે વાગ્યે પરંપરાગત રાજપુત પોશાક, ઘોડેશ્ર્વાર, સાફા-પાઘડી ધારણ કરી સમગ્ર તાલુકાના રાજપુત સમાજના ભાઈઓ- બહેનોની એક ભવ્યતાથી ભવ્ય રેલી ગરાસીયા બોર્ડીંગ ખાતેથી પ્રસ્થાન થઈ જીનપરા, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઈન બજાર, દરબારગઢ રોડ, ચાવડી ચોક, રામ ચોક, પ્રતાપ ચોક, માર્કેટ ચોક, દિવાનપરા ખાતે પહોંચી પૂ.અમરસિંહજી બાપુની પ્રતિમા સમક્ષ વંદન કરી દિગ્વીજયનગર (પેડક) ખાતે કાર્યક્રમ સ્થળે સંપન્ન થશે તેમ રાજપુત સમાજના પમુખ વજુભા સજુભા ઝાલાની યાદીમાં જણાવેલ છે.

 






Latest News