મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી એબીવીપી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો

મોરબી એબીવીપી દ્વારા ઊમિયા સર્કલથી ઓમવીવીઆઇએમ કોલેજ સુધીની રેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીની પી.જી. પટેલ કોલેજ, ઓમવીવીઆઇએમ કોલેજ, નવયુગ કોલેજ તેમજ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. અને જેમાં પી.જી.પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ ઝાલા અને મંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા, ઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે હર્ષભાઈ ડાંગર અને મંત્રી તરીકે રમેશભાઈ આહીર, નવયુગ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે યશભાઈ મકાસણા અને મંત્રી તરીકે મિતભાઈ મનીપરા, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે આર્યદીપસિંહ રાઠોડ અને મંત્રી તરીકે જીજ્ઞેશભાઈ સોલંકી સહિતની કારોબારીની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. અને આગામી સમયમાં કોલેજ કારોબારીની ઘોષણા કરવામાં આવશે તેવું આગેવાને જણાવ્યુ છે.






Latest News