મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સરધારકા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા આધેડનું મોત


SHARE











વાંકાનેરના સરધારકા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા આધેડનું મોત

વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ વાડીએ આધેડને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા ઈસ્માઈલભાઈ આમદભાઈ શેરસિયા (50) નામના આધેડ પોતે પોતાની વાડીએ હતા ત્યારે કોઈપણ સમયે કોઈ પણ કારણોસર તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા દમયંતીબેન મગનભાઈ જસાવડા (54) નામના મહિલા ગત તા. 22/9 ના રોજ સવારે 7:00 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ચૂલામાં પડી જતા દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ  સારવારમાં

મોરબીના દલવાડી સર્કલ પાસે કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં રહેતા ભીખુભાઈ સીદીભાઇ બારોટ (67) નામના વૃદ્ધ પંચાસર ચોકડી પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન અજાણ્યા ટ્રક ચાલાકે તેમને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ અંગેની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News