જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે


SHARE











મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે

મોરબીના લજાઈ ગામે અને રાજપર ગામે આવેલ ગૌશાળામાં રાખવામા આવેલ ગાયોના નિભાવ માટે દર વર્ષે નાટક કરવામાં આવે છે તેવી જ રીતે આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક અને કોમિક નાટકો રજૂ કરવામાં આવશે જેથી કરીને નાટક જવા માટે અને ગાયોની સેવામાં સહયોગ આપવા માટે આયોજકોએ અપીલ કરેલ છે.

ટંકારા તાલુકાના લજાઈ ગમે ઈ.સ.૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોનાં ગોંદરે થયેલ સંકલ્પ “અમારી ગાય કતલ ખાને કદી ન જાય" નિરાધાર, અંધ, અપંગ ગાયોનાં લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા આયોજીત મહાન ઐતિહાસીક નાટક "ક્રુષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ" સાથે હાસ્ય રસીક કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૫/૧૦ ને શનિવારના રોજ રાતે ૧૦:૦૦ કલાકે લજાઈ ગામનાં ગાયોનાં ગોંદરે આ બંને નાટક ભજવવામાં આવશે જેનું આયોજન સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ગામના લોકોને તેમજ આસપાસના લોકોને ત્યાં આવવા માટે જાહેર આમંત્રણ આપેલ છે

આવી જ રીતે મોરબીના રાજપર ગામે આવેલ ગૌશાળામાં નિરાધાર ગાયોને રાખવામા આવેલ છે તેના લાભાર્થે ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ અને તેની સાથે કોમિક નાટક દયારામ નો દીકરો તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને પેટ પકડીને હસાવવા માટે ગગુળીયાની ટીમને પણ બોલાવવામાં આવી છે આ નાટક આગામી તા. ૧/૧૦ ને શનિવારે રોજ રાત્રે ૯:૩૦ કલાકે રાજપર ગામે યોજાશે ત્યારે લોકોને મજા કરવા માટે અને ગાયોના કામમાં સેવા આપવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News