મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાંનેર પ્રખંડમાં હિન્દૂ સંમેલન યોજાયા


SHARE











મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાંનેર પ્રખંડમાં હિન્દૂ સંમેલન યોજાયા

વિશ્વ હિન્દૂ પરિષદ  મોરબી જિલ્લામાં ષષ્ઠીપુરતી વર્ષ એટલે કે વિહીપને જ્યારે ૬૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે ભારતભરના દરેક જિલ્લાના દરેક પ્રખંડમાં વિરાટ હિન્દૂ સંમેલનનું આયોજન કરવાનું હોય ત્યારે આપણા મોરબી જિલ્લાના ટંકારા પ્રખંડમાં, વાંકાંનેર પ્રખંડમાં તથા મોરબી પ્રખંડમાં પણ હિંદુ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ટંકારા પ્રખંડમાં  સંત નિરંજનદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપ્યા હતા, સુરેન્દ્રનગર વિભાગ બજરંગદળ સંયોજક કમલભાઈ દવે દ્વારા વિહીપ વિશે થોડી માહીતી આપી હતી અને ત્યારબાદ સુરેન્દ્રનગર વિભાગના સમાજીક સમરસતાના સંયોજક રમેશભાઈ પંડયા કે, જે આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતા તેમને પોતાનું વક્તવ્ય આપ્યું હતુ. આ કાર્યક્રમમાં વિભાગ તથા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ  સવસાણી, પરેશભાઈ તન્ના, ટંકારાના કાર્યકર્તા યોગીરાજસિંહએ કાર્યક્રમને સફળ કરવા ખુબ મહેનત કરી હતી.  એવી જ રીતે વાંકાનેર પ્રખંડમાં ગાયત્રી શકિત પીઠ મંદીર ખાતે પણ હિન્દૂ સંમેલન યોજવામાં આવ્યું હતુ જ્યાં મંદિરના સંત અશ્વિન બાપુ તથા ભુરયા હનુમાનજીની જગ્યાના મંહત સતિષબાપુ માધવાચારય દ્વારા આશીર્વચન આપવામા આવ્યું હતુ ત્યાર બાદ વિહીપ મોરબી જિલ્લા મંત્રી ભાવિકભાઈ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે વિહીપના ષષ્ઠીપુરતી વર્ષ પુરા કર્યા તેના વિશે માર્ગદર્શન આપ્યું હતુ. વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ દ્વારા પણ વિહીપની થોડી માહીતી આપી વધુ લોકોને વિહીપમાં જોડવા આહવાન કર્યું હતું. મોરબી જિલ્લા બજરંગદળ સહ સંયોજક મહેશભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ તથા વાકાનેર પ્રખંડ બજરંગદળ સંયોજક અનિલભાઈ કુનપરાએ ખુબ મહેનત કરી હતી.






Latest News