મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું

મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન દિવ્યાંગ હોય તેને શ્વાસની તકલીફ હતી અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી તેવામાં વતનમાં પૈસા મોકલવાના હતા જેના ટેન્શનમાં આવી જતાં તેને કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ જેટ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિશ્વજિત સુધીરચંદ્ર બોઝ (25) નામના યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ઇન્દ્રજીત કપિલદેવ પ્રસાદ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેને શ્વાસની તકલીફ હતી તેમજ તે દિવ્યાંગ હતો જેથી તે વધુ કામ કરી શકતો ન હતો અને વતનમાં પૈસા મોકલવાના હતા જેથી તેને માનસિક ટેન્શન રહેતું હતું અને તેનાથી કંટાળીને આ યુવાને પોતે પોતાની જાતે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News