મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું

મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન દિવ્યાંગ હોય તેને શ્વાસની તકલીફ હતી અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી તેવામાં વતનમાં પૈસા મોકલવાના હતા જેના ટેન્શનમાં આવી જતાં તેને કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ જેટ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિશ્વજિત સુધીરચંદ્ર બોઝ (25) નામના યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ઇન્દ્રજીત કપિલદેવ પ્રસાદ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેને શ્વાસની તકલીફ હતી તેમજ તે દિવ્યાંગ હતો જેથી તે વધુ કામ કરી શકતો ન હતો અને વતનમાં પૈસા મોકલવાના હતા જેથી તેને માનસિક ટેન્શન રહેતું હતું અને તેનાથી કંટાળીને આ યુવાને પોતે પોતાની જાતે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News