માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રિલીફનગર ઉપાશ્રય ખાતે અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા હર્ષઉલાસભેર ઉજવણી


SHARE











મોરબીના રિલીફનગર ઉપાશ્રય ખાતે અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા હર્ષઉલાસભેર ઉજવણી

મોરબીમાં અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રિલીફનગર ઉપાશ્રય સામાંકાઠે સ્થાનકવાસીના પર્તાધીરાજ પર્યુષણ અને જૈન સવંસરી નિમિતે ગત તા. ૮/૯ ને રવિવારનાં રોજ ખુબ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીનાં શિષ્ય એવા પૂજ્ય કોમલબાઈ મહાસતીજી અને એકતાબાઈ મહાસતીજીની નિશ્રા અને તેમના સાનિધ્યમાં ઘણા તપસ્વી રત્નોએ અને ઘણા ભાવિક શ્રાવક અને શ્રાવિકાઓએ તપસ્યા આરાધના કરીને તેમના આત્માને શુદ્ધ કરી કર્મની નિર્જરા કરી હતી.

ખૂબ જ હર્ષોલ્લાષથી પર્વધીરાજ પર્યુષણ અને જૈન સવાંસારીની ભાવ વિભોર રીતે ઉજવણી કરવામાં આવી હતી.તપસ્યાના ભાગ રૂપે કુલ ૩૨ જેટલી તપસ્યાઓ થઈ હતી.જેમાં ૨૧ ઉપવાસ કરનાર ૧ વ્યક્તિ, ૧૧ ઉપવાસ કરનાર ૧, ૮ ઉપવાસ કરનાર ૪, ૩ ઉપવાસ કરનાર ૨ અને રજોહરણ તપ કરનાર ૬ અને એકાસણા તપ કરનાર ૮ અને બેસણા તપ કરનાર ૮ એમ કુલ ૩૨ જેટલી તપસ્યાઓ થઈ હતી.સર્વ લોકોએ પોતાની કર્મની નિર્જરા કરીને જાણતા અને અજાણતા કોઈ કર્મ બાંધ્યું હોય અને પાપ કર્યું હોય તો અંતર મનથી સર્વ લોકોને "મિચ્છામી દુક્કડમ" કહીને ક્ષમા યાચના કરી હતી.તેમ અજરામર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓ અને સભ્યોએ યાદીમાં જણાવેલ છે.




Latest News