મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી: માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ


SHARE











મોરબી: માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ

સતત છેલ્લા પચીસ વર્ષથી પદયાત્રીઓની સેવામાં મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે યોજાતા આ સેવા કેંપમાં મોરબીના ધીરૂભાઈ ચાવડા(આહીર) SBI બેંકવાળા, કે.સી.જાડેજા PGVCL, વિષ્વરાજસિંહ જાડેજા (મોંટુભાઈ), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ જ્યોતિ મંડપ, મહેશભાઈ ભારવાણી (જલારામ ફેમિલી મોલ) તથા સોનગઢ ગામના આહીર યુવાનો તથા પરા બજાર મિત્ર મંડળ મોરબી સહીતના ઉત્સાહી સેવાભાવી યુવાનો ખૂબ જ ઉમંગ સાથે સેવા આપી રહ્યા છે.

આ સેવા કેંપ તા.25-9 બુધવારથી તા.30-9 અને સોમવાર સુધી દિવસ રાત અવિરત ચાલુ રહેશે. આ સેવાકેંપમાં વિનામૂલ્યે જમવાનું, ચા-પાણી, નાસ્તો, રાત્રી રોકાણ, ન્હાવાનું તથા મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે.તો દરેક પદયાત્રીએ આ સેવાનો ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવે છે.






Latest News