મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં પાલિકાના અધિકારી સહિતનાઓને આરોપી બનાવ્યા નથી: CBI ને તપાસ સોંપવા હાઇકોર્ટમાં અરજી


SHARE











મોરબી ઝૂલતા પુલ કેસમાં પાલિકાના અધિકારી સહિતનાઓને આરોપી બનાવ્યા નથી: CBI ને તપાસ સોંપવા હાઇકોર્ટમાં અરજી

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચાલી રહેલી સૂઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આજે મોરબીના પીડિતો તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે માંગણી કરવામાં આવી હતી. પીડિતો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે હાલની તપાસમાં કેટલાક છીંડા રાખવામાં આવેલા છે અને નગરપાલિકાના અધિકારીઓ સહિતના જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને આરોપી બનાવવામાં આવ્યા નથી.  ગુનાની કેટલીક હકીકતો બહાર લાવવામાં મોરબીની પોલીસ નિષ્ફળ ગઈ હોવાથી આ કેસની તપાસ સીબીઆઇ મારફતે થવી જોઈએ.

જોકે, કોર્ટ દ્વારા વકીલને જણાવવામાં આવ્યું હતું કે જો આ માગણી બાબતે વિચાર કરવામાં આવશે અથવા તો ગ્રાહ્ય રાખવામાં આવશે તો કેસની જે ટ્રાયલ છે જે હાલ શરૂ થઈ ગઈ છે તેમાં વિલંબ થશે અને અંતે પીડિતોને જ તેની અસર ભોગવવી પડશે તેના કરતાં કેસની ટ્રાયલ દરમિયાન જો કેસમાં કોઈપણ જાતની નબળી કડી જણાય તો પીડિતો તરફથી તે બાબતે કોર્ટમાં રજૂઆત કરી શકાય છે અને તે બાબતે હકદાર છે. અદાલતે એમ પણ જણાવ્યું છે કે ખાસ તપાસ દળ દ્વારા રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે કોની કોની જવાબદારી છે તે પણ તેની અંદર લખવામાં આવેલું છે. પીડિતોને વધુ સુનાવણી દરમિયાન આ મુદ્દાઓ ઉપર સાંભળવામાં આવશે. 

બીજી બાજુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિમવામાં આવેલા કોર્ટ કમિશનર દ્વારા મોરબીના પીડિતોની મુલાકાત લેવામાં આવી હતી અને આ બાબતે બે ભાગમાં અહેવાલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત પીડિતો દ્વારા કરાયેલી રજૂઆતો અને કયા કયા પીડિતો તો કોર્ટ કમિશનરને મળ્યા હતા તેના બે સીલબંધ કવર પણ કોર્ટને સોંપવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આ તમામ દસ્તાવેજો રેકોર્ડ ઉપર લેવામાં આવ્યા હતા. અહેવાલ બાબતે હાઇકોર્ટ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અલગ અલગ કેટેગરીમાં પીડિતોને બાર હજાર જેટલી સહાય આપવામાં આવે છે. કેટલીક વિધવા બહેનો એ એકમાત્ર કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે. કેટલી બહેનો વિધવા હતી અને તેઓએ એકમાત્ર કમાનાર યુવાન દીકરો કે દીકરી ગુમાવ્યા છે અને ઘણા સગીર બાળકો આધાર વિહીન થયા છે. કેટલાક એવા પણ પીડિતો છે કે જેઓને ઇજાના કારણે તેમની સારી એવી પગાર ની નોકરી ગુમાવી પડી છે. એક કિસ્સામાં એક ભાઈને નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું હોવાનું પણ ધ્યાન માં આવ્યું હતું.

વધુમાં અન્ય એક વ્યક્તિને કરોડરજ્જુ ની ગંભીર ઇજા થઇ છે. તેઓને યોગ્ય સપોર્ટ મળ્યો નથી. ગુજરાત હાઇકોર્ટ નાં આદેશ મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આપવામાં આવેલી સહાય બાબતે પણ અમુક પીડિતોને માહિતી નથી. કેટલાક વાલીઓને તે પણ ખબર નથી કે કોર્ટ દ્વારા બાળકોના કોલેજ અને વ્યવસાયિક શિક્ષણ બાબતે પણ ખર્ચની જોગવાઈ કરાઈ છે. એથી  તેઓને યોગ્ય સહકારની જરૂર છે. ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલુ રૂ. ૧૫ લાખનું ભંડોળ પણ સામાન્ય રકમ છે. પીડિતો અને તેમના પરિવારમાં કંપની કે ટ્રસ્ટ દ્વારા મળનારી સહાય બાબતે અવિશ્વાસનું વાતાવરણ છે.

આથી આ બાબતે કોઈ લેખિતમાં દસ્તાવેજ કરવો જરૂરી છે. આ દુર્ઘટનામાં અસર પામનાર ૨૧ બાળકો છે અને તેમાં આઠ યુવાન કિશોરીઓ છે. તેઓને શિક્ષણ આપવામાં આવે છે. આ આઠ કિશોરીઓનો લગ્નનો ખર્ચ પણ ઓરેવા કંપનીએ ભોગવવો પડે અને તે બાબતે ટ્રસ્ટ કે જેનું નામ પરિવાર સહાય સેવા ટ્રસ્ટ છે તેઓએ લાભની યાદીમાં આ બાબત ઉમેરવી જોઈએ. દરમિયાન કોર્ટે આ કેસની સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. સુનાવણી દરમિયાન કંપનીના વકીલની સુનાવણી દરમિયાન ઝાટકણી કાઢી હતી






Latest News