મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ એકલા મેળામાં જવાની ના પાડતા પત્નીનો આપઘાત


SHARE











મોરબીમાં પતિએ મેળામાં જવાની ના પાડતા પત્નીનો આપઘાત

મોરબીના વાંકાનેર તાલુકાના તરકીયા ગામે નજીવી વાતે દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના તરકીયા ગામે રહેતા નીતાબેન મુનાભાઈ બાવળીયા કોળી (ઉ.32) નામની પરણીતાએ તા.4ના સવારે આઠેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.

જેથી ચોટીલા ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. બાદમાં તેણીને અત્રેની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા અને અહીં મોરબી ખાતે તા.5ના વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં સારવાર દરમ્યાન નીતાબેન બાવળીયાનું મોત નિપજયું હતું. હોસ્પીટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા હાલ એ ડીવીઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે મૃતકને તેનો ભાઈ તેડવા માટે આવ્યો હતો. તેઓને તરણેતરના મેળામાં જવાનું હતું.

જેથી મૃતકના પતિ મુનાભાઈ બાવળીયાએ તેઓના બે સંતાનોને સાથે લઈને માવતરે અને મેળામાં જવા માટે કહ્યું હતું. જોકે મૃતકને એકલા (સંતાનો વગર) મેળામાં જવું હતું અને સંતાનો તમે સાચવો તે બાબતે બંને વચ્ચે સામાન્ય રકઝક થઈ હતી જે વાતનું માઠુ લાગી આવતા નીતાબેને અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નિપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાતા હવે તે આગળની તપાસ ચલાવશે તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા

 મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતી પાર્વતીબેન કરશનભાઈ ભીલ (ઉ.17)ને રેલ્વે સ્ટેશન રોડ ઉપર બનેલ મારામારીના કેસમાં ઈજાઓ થતા સિવીલે સારવાર માટે લાવવામાં આવી હતી.  જયારે ટંકારાની લતીપર ચોકડી પાસે બનેલા મારામારીના બનાવમાં ઈજા થતા રામદેવભાઈ જાડેજા નામના ત્રીસ વર્ષ (રહે. શનાળા-મોરબી)ના યુવાનને ઈજાઓ થતા તેને પણ સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયા હતા.






Latest News