મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સહિત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ આજના સમયની તાતી માંગ


SHARE











મોરબી જીલ્લા સહિત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ આજના સમયની તાતી માંગ

આજના સમયે જ્યારે રાસાયણિક ખાતર અને દવાઓનો વ્યાપ વધી રહ્યો છે ખેતીમાં ઉત્પાદકતા ઘટી રહી છે. જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ ગઈ છે ત્યારે આજના સમય માં પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વ રૂપ બની ગઈ છે. પ્રાકૃતિક ખેતી એ તેવી ખેતી પદ્ધતિ છે જેમાં જમીન માટે જરૂરી પોષક તત્વો અને પૃથ્વી સંરક્ષણને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક ઢબે પરંપરાગત ખેત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

 જમીનના સંરક્ષણ માટે જરૂરી એવી પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ થતો નથી, જે જમીનના પોષક તત્વોને સચોટ રીતે જાળવે છે. તે જમીનમાં જરૂરી મિત્ર કીટકોને જાળવી ખેતી માટે અનુકૂળ વાતાવરણનું સર્જન કરે છે. જેથી માટીની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

 પ્રાકૃતિક ખેતીમાં જૈવિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે, જે જમીન, પાણી અને વાયુંને કોઈ પણ રીતે નુકસાન કરતું નથી. તો રાસાયણિક પદાર્થોના વપરાશ વિનાના ઉત્પાદિત ખોરાક સ્વસ્થ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ લાંબા ગાળે કુદરતી સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે, જે જમીન અને પર્યાવરણ માટે ટકાઉ વિકાસ પ્રોત્સાહિત કરે છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ માત્ર ખેતી પૂરતું જ સીમિત નથી પરંતુ સમગ્ર પર્યાવરણ અને જીવન સૃષ્ટિના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે.






Latest News