સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત


SHARE











મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રોહિશાળા ગામે મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ મામાનો દીકરો ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી ત્રણેયના મોત નિપજતા નાના એવા રોહિશાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના રાજકોટ રહેતા બે ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.૧૮) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.૧૬) તેના માંમાંના ઘરે આવ્યા હતા અને મામા હિતેશભાઈના દીકરા મેહુલ (ઉ.૨૦) સાથે તેઓ ગામના તળાવમાં ન્હાવા ગયા હતા ત્યારે તળાવમાં અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના મોત નિપજ્યાં હતા જેથી કરીને નાના એવા રોહિશાળા ગામમા દિવાળીના તહેવાર પૂર્વે જ શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News