ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત


SHARE











વાંકાનેરના મહીકા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત

વાંકાનેર નજીક આવેલ તીર્થ હોટલ પાસે ટેન્કર પલટી મારી ગયું હતું જેથી કરીને તેમાં દબાઇ જવાના કારણે ટેન્કરના ડ્રાઇવર મૃત્યુ નીપજ્યું છે જ્યારે તેના ક્લીનરને સામાન્ય ઇજાઓ થઇ હોવાથી સારવાર આપવા માટે ખસેડાયો હતો અને આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રહેતો મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મહીકા નજીક આવેલ તીર્થ હોટલ પાસે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર નંબર જીજે ૧૨ બીવી ૧૭૦૮ પલટી મારી ગયું હતું જેથી કરીને ટેન્કરનો ડ્રાઇવર દેવાયતભાઈ નગાભાઈ આહીર (ઉમર વર્ષ ૩૫, રહે, ધોક્ળવાડા, સામિ પાટણ) ટેન્કરના નીચે દબાઈ ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું જોકે તેની સાથે રહેલ ક્લીનર અજાભાઈને સામાન્ય ઇજાઓ થવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રહેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News