મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના માધાપર ગામે પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











મોરબીના માધાપર ગામે પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબીના માધાપર ઝાંપે આવેલા પાધરદેવી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાધરદેવી માતાજીનો બે દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ છે.

જેની માહિતી આપતા ધર્મેન્દ્રભાઈ કંઝારિયાએ જણાવ્યુ હતું કે, તા 19 અને 20 ના રોજ આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા 19 ના રોજ રાત્રે 9:30 વાગ્યે રામજી મંદિર ચોકમાં સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ સતવારા સમાજનું ગૌરવ આરતીબેન સતવારા (જોગાણી) સાથે કાનજીભાઈ ગઢવી અને તેની ટિમ જમાવટ કરશે. અને તા 20 ના રોજ સવારે 9:00 વાગ્યે નવચંડી યજ્ઞ, 10:00 વાગ્યે પાધરદેવી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, 10-30 કલાકે રામજી મંદિરેથી ધ્વજાજીની શોભાયાત્રા નીકળશે, 11:00 વાગ્યે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે, બપોરે 11:30 વાગ્યે માધાપર વિસ્તારના સમસ્ત ગ્રામજનોનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 4: 30 વાગ્યે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5:30 કલાકે માતાજીના મંદિરે મહાઆરતી કરવામાં આવશે.

મેલડી માતાજીનું આખ્યાન
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા. 19 ને સોમવારે 9:30 વાગ્યે મેલડી માતાજીના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમરેલીનું પ્રખ્યાત શ્રી મેલડી માં મંડળ દ્વારા મેલડી માતાજીનું આખ્યાન ભજવવામાં આવશે. જેનો ધર્મપ્રેમી ભક્તોને લાભ લેવા માટે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News