મોરબીમાં બીમારીથી કંટાળીને ફિનાઇલમાં એસિડ મિક્ષ કરીને પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
SHARE
મોરબીમાં યુવાને પોતાના જ ઘરની અંદર અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું
મોરબીમાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ વિજયનગર સોસાયટી વિસ્તારમાં યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ પુનાભાઈ મકવાણા (42) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મૃતક યુવાનના મૃતદેહને તેના પરિવારજનો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.
બાળક સારવારમાં
મોરબીના નવા ધરમપુર ગામે રહેતા વિષ્ણુ મનસુખગીરી ગોસ્વામી (12) નામના બાળકને ત્યાં છોકરાઓ રમતા હતા ત્યારે રમત રમતમાં ઇજા થઇ હતી જેથી તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી.