મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને ફિનાઇલમાં એસિડ મિક્ષ કરીને પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને ફિનાઇલમાં એસિડ મિક્ષ કરીને પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યોગીનગરમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ફિનાઇલમાં એસિડ મિક્સ કરીને પી લીધું હતું જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી ચાલુ સારવારે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી યોગીનગર સોસાયટી બ્લોક નંબર 107 માં રહેતા વિનુબેન મગનભાઈ સીચણાંદા (64) એ પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ફિનાઇલમાં એસિડ મિક્સ કરીને તે પી ગયા હતા જેથી કરીને વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સર્વે દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે, મૃતક વૃદ્ધાને ચામડી અને પગની બીમારી હતી જેની દવા પણ ચાલુ હતી અને આ બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે આ પગલું ભર્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આરોપી પકડાયો

મોરબી તાલુકા વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને જીવલેણ અકસ્માતના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે આરોપી કિશન મુકેશભાઈ કુકવા (19) રહે. શીતળા માતા મંદિર પાસે મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News