મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના જડેશ્વર પાસે લોકમેળો માણીને વાંકાનેર જતા બે યુવાનો ઉપર દિપડાનો હુમલો


SHARE











મોરબી જીલ્લાના જડેશ્વર પાસે લોકમેળો માણીને વાંકાનેર જતા બે યુવાનો ઉપર દિપડાનો હુમલો

વાંકાનેર  તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર પાસે લોકમેળાનું આયોજન કર્યુ છે. ત્યાં મેળો કરીને બે યુવાનો વાંકાનેર જતા હતા ત્યારે રસ્તામાં વડસરના વળાંક પાસે દિપડાએ બંન્ને યુવાન ઉપર અચાનક હુમલો કર્યો હતો, જેથી ઇજા પામેલા યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા.

વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો શરૂ થયો છે ત્યાં ઘણા લોકો આવ્યા હતા અને મોડી સાંજના 8:30 વાગ્યાની આસપાસ મેળો કરીને બે યુવાનો પરત વાંકાનેર તરફ જતા હતા. ત્યારે ડબલ સવારી બાઇક વડસર ડુંગરના વળાંક પાસે  પહોંચતા અચાનક એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં બાઇક સવાર વત્સલ પુજારા (21) રહે. વાંકાનેર અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઇજા થઇ હતી. ત્યારે દિપડાએ યુવાનોના માથા ઉપર પંજો મારીને ઇજા કરી હતી. ત્યાર બાદ રોડ ઉપર ટ્રાફિક હોવાથી દિપડો પાછો જાળીમાં ભાગી ગયો હતો. અને બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.






Latest News